ઓલિમ્પિયામાં પેરિસ ઓલિમ્પિકની મશાલ પ્રગટાવી: 26 જુલાઈથી 11 ઓગસ્ટ વચ્ચે યોજાશે વિવિધ રમતો ...
- 17 Apr, 2024
પેરિસ ઓલિમ્પિકની રમતો શરૂ થાય તે પહેલા મશાલ પ્રગટાવવાની પરંપરા વર્ષ 1936થી ચાલતી આવેલી છે.મશાલ રિલે એ એક અદ્ભુત પરંપરા છે જે આપણને ઓલિમ્પિક રમતોના મૂળ સાથે જોડે છે. પેરિસ 2024 ઓલિમ્પિક મશાલ રિલે માટે સૌપ્રથમ મશાલ 16 એપ્રિલ 2024 ના રોજ ગ્રીસના ઓલિમ્પિયાના અભયારણ્યમાં એક સમારોહ દરમિયાન સૂર્યપ્રકાશ દ્વારા પ્રગટાવવામાં આવી છે.ત્યારબાદ સમગ્ર વિશ્વમાં મશાલની યાત્રા શરૂ થશે. અંતે તે પેરિસમાં અટકશે. આ મશાલ ગ્રીક અભિનેત્રી મેરી મીનાના હસ્તે પ્રગટાવવામાં આવી હતી.
પેરિસ ઓલિમ્પિકને આડે 100 દિવસ બાકી છે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ વચ્ચે યોજાવાની છે. આ સમારોહ (ઓલિમ્પિક પ્લેમ લાઇટિંગ સેરેમની) મંગળવારે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના પ્રમુખ થોમસ બાચની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ દરમિયાન ગ્રીક રાષ્ટ્રપતિ કેટરિના એન. સાકેલારોપૌલો પણ હાજર હતા.
પ્રથમ ઓલિમ્પિક 1896માં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના આશ્રય હેઠળ યોજાયો હતો. જે એથેન્સના પેનાથેનાઈક સ્ટેડિયમમાં રમાઈ હતી. મશાલ પ્રગટાવવાનો વિચાર વર્ષ 1928માં નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં આયોજિત ઓલિમ્પિક્સમાંથી આવ્યો હતો. ઓલિમ્પિક રિલેની શરૂઆત 1936માં બર્લિન ઓલિમ્પિક ગેમ્સમાં થઈ હતી. ઓલિમ્પિક જ્યોતને પ્રાચીન અને આધુનિક રમતોને જોડતી કડી માનવામાં આવે છે.
પેરિસ ઓલિમ્પિકમાં ટ્રેક આ વખતે જાંબલી રંગનો હશે. સામાન્ય રીતે ટ્રેક લાલ રંગમાં હોય છે. ટોક્યોમાં આયોજિત ઓલિમ્પિક ગેમ્સનો ટ્રેક લાલ રંગનો હતો.
પેરિસ ઓલિમ્પિકમાં એથ્લેટિક્સ સ્પર્ધાના પ્રભારી ભૂતપૂર્વ ઓલિમ્પિયન એલેન બ્લોન્ડેલે કહ્યું છે કે ટ્રેકને જાંબલી રંગ આપવાનું કારણ એ છે કે જાંબુડિયા પેરિસ ઓલિમ્પિક ગેમ્સના રંગોમાંનો એક છે. તાજેતરમાં ઓલિમ્પિક એસોસિયેશને પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે ત્રણ રંગો પસંદ કર્યા હતા. જેમાં ગુલાબી, વાદળી અને જાંબલી રંગોનો સમાવેશ થતો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ